નારાયણનુ નામ જ લેતા, વારે તેને ભજીએ રે,
મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે,
નારાયણનુ નામ જ લેતા…
કુળને તજીયે કુટુંબને તજીયે તજીએ માં ને બાપ રે,
ભગિની ,સુત, દારાને તજીયે, જેમ તજે કસુકી સાપ રે
નારાયણ નું નામ જ લેતા…
પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ, ના તજીયું હરિનું નામ ને
ભરત શત્રુઘને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ ને
નારાયણ નું નામ જ લેતા…
ઋષિ પત્નિ એ હરિ ને કાજે, તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કઈ ન ગયુ રે, પામી પદારથ ચાર રે
નારાયણ નું નામ જ લેતા…
વ્રજ વનિતા વિઠ્ઠલને કાજેજી, સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃંદાવનમાં રે, મોહનવર સુમાલી રે
નારાયણ નું નામ જ લેતા…