ગોવિંદ ના ગૂણ ગાશું,
રાણાજી, અમે ગોવિંદ ના ગૂણ ગાશું
ચરણામૃત નો નિયમ હમારે ,
નિત્ય ઉઠી મંદિર જાસુ…રાણાજી અમે.
રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,
પ્રભુજી રૂઠે રે મારી જાશું…રાણાજી અમે.
વિષ ના પ્યાલા રાણાજી આ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું…રાણાજી અમે.
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નગર,
ચારણ કમલ પર વારી જાશું…રાણાજી અમે.